Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાહ-એ- હિદાયત નામના ગ્રુપ સાથે સંકળાયેલ હતા
રાજકોટ તા. ૧: સેશન્સ કોર્ટે રાજકોટ સોની બજારમાંથી ઝડપાયેલા ૩ આતંકીઓને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. આ આતંકીઓ અલકાયદાનો પ્રચાર કરતા હતાં.
રાજકોટના સોની બજારમાંથી ઝડપાયેલા અલ-કાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોને સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, કોર્ટે દરેક આરોપીને રૂ. ૧૦,૦૦૦નો દંડ પણ ફરમાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ત્રણેય આતંકીઓ 'રાહ-એ-હિદાયત' નામના ગ્રુપ સાથે સંકળાયેલા હતા. તેઓ સોની બજારમાં નોકરી કરતા હતા. આ અંગે ગત ૨૬ જુલાઈ, ૨૦૨૩ના ગુજરાત એટીએસ (એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ)ને બાતમી મળી હતી કે, રાજકોટના સોની બજારમાં નોકરી કરતા અલ-કાયદા તંઝીમનો પ્રચાર કરતા ત્રણ શખ્સો ભારત વિરોધી પ્રવૃત્તિઓ ચલાવી રહૃાા છે. તેઓ મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરી યુવાનોને ગેરમાર્ગે દોરી રહૃાા છે.
આ બાતમીના આધારે એટીએસએ આ આતંકીઓ પર વોચ ગોઠવી હતી. ત્યારબાદ એટીએસ દ્વારા વોચ ગોઠવી ૩૧ જુલાઈ, ૨૦૨૩ના ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેસની સુનાવણી દરમિયાન, સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા અને રૂ. ૧૦,૦૦૦નો દંડ ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial