Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે અદાલતમાં કરાશે તેની સુનાવણીઃ
જામનગર તા. ૧૪: જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર પેઢી ચલાવતા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે બે વેપારીએ પોતાના જીએસટી પોર્ટલ પર જાણ બહાર જ ખોટી વેરાશાખ મેળવી લીધાની ફોજદારી ફરિયાદ કર્યા પછી આગોતરા જામીન મેળવવા આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે અદાલતમાં અરજી કરી છે તેની આજે સુનાવણી રાખવામાં આવી છે.
જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર બ્રહ્મ એસોસિએટ નામની પેઢી ચલાવતા અલ્કેશ પેઢડીયા નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં અમદાવાદથી ધસી આવેલી જીએસટીની ટીમે સપ્તાહ પૂર્વે ચકાસણી હાથ ધરી હતી.
ત્યારપછી કેટલાક વેપારીઓના નામે ખોટી વેરાશાખ લઈ લીધી હોવાનું બહાર આવ્યું હતું અને જામનગર તેમજ ગ્રામ્ય પંથકના એક વેપારીએ આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે પોતાની પેઢીના જીએસટી પોર્ટલ પરથી ખોટી વેરાશાખ મેળવી લેવા અંગે ફરિયાદ નોંધાવી હતી.
આ ગુન્હામાં પોલીસ પોતાની ધરપકડ કરશે તેવી આશંકાથી આરોપી અલ્કેશ પેઢડીયાએ જામનગરની અદાલતમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી તેની આજે સુનાવણી રાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial