Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ આતંકવાદી ઠાર

આખી રાત ચાલ્યું ઓપરેશન અખાલઃ

                                                                                                                                                                                                      

શ્રીનગર તા. રઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી આખી રાત ચાલેલા ઓપરેશન અખાલ ૩ આતંકી ઠાર થયો છે, જ્યારે ત્રણ ઘેરાયા છે. રાતભર અથડામણ ચાલી હતી. હજુ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ વિસ્તારમાં શુક્રવારે શરૂ થયેલ ઓપરેશન અખાલ આખી રાત ચાલ્યું હતું અને હજુ પણ ચાલુ છે. ઓપરેશન દરમિયાન સેનાએ આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીને ઠાર માર્યો છે.

સેનાને આશંકા છે કે બેથી ત્રણ આતંકવાદીઓ હજુ પણ આ વિસ્તારમાં છૂપાયેલા હોઈ શકે છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સંયુક્ત ટીમે આતંકવાદીઓની હાજરી અંગેની ગુપ્ત માહિતીના આધારે દેક્ષિણ કાશ્મીરના જંગલ વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરશન શરૂ કર્યું હતું.

આ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર શરૂ થયું, જેમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh