Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની આઈ.ટી.આઈ.માં પ્રવેશ

આગામી તા. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં મેળવી શકશો

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: જામનગર જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈ.ટી.આઈ.), જેમાં આઈટીઆઈ જામનગર, જામનગર (શહેર તથા મહિલા), ગુલાબનગર, ધ્રોળ, જોડિયા, કાલાવડ, લાલપુર અને જામજોધપુરના વિવિધ રોજગારલક્ષી ટ્રડ્સમાં ચાલુ વર્ષ માટે ખાલી રહેલ બેઠકો પર વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ પ્રક્રિયા શરૂ છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તા. ૩૦-૯-ર૦રપ રાખવામાં આવેલ છે.

ઉમેદવારો સંસ્થાના ચાલુ કામકાજના દિવસો દરમિયાન સંબંધિત સંસ્થામાં કાર્યરત હેલ્પ સેન્ટરમાં વિનામૂલ્યે ફોર્મ ભરી શકે છે. આ ઉપરાં જે તાલીમાર્થીઓ ઓનલાઈન અરજી કરવા ઈચ્છુક હોય તેઓ પોર્ટલ પર પણ પોતાનું એડમિશન ફોર્મ ભરી શકે છે. તમામ ઈચ્છુક અને લાયક ઉમેદવારોને નિર્ધારિત સમયમર્યાદા પહેલા અરજી કરી આ તકનો લાભ લેવા માટે આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh