Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છેઃ રાઘવજીભાઈ પટેલ
જામનગર તા. ૨૮: જામનગરના દિગ્વિજય ગ્રામ સિક્કાની પાવર હાઉસ પ્રાથમિક શાળામાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સિદ્ધાર્થ એનજીઓના સહયોગથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડીને તેમના અભ્યાસમાં મદદ કરવાના હેતુથી યોજાયેલ આ કાર્યક્રમમાં શાળાના ૩૪૫ વિદ્યાર્થીઓને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી.
આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે અને આવા પ્રયાસો થકી વિદ્યાર્થીઓને ભણવા માટે વધુ પ્રેરણા મળશે. તેમણે સિદ્ધાર્થ એનજીઓ દ્વારા કરવામાં આવેલી આ પહેલને બિરદાવી હતી અને આવા સામાજિક કાર્યોનું મહત્ત્વ સમજાવ્યું હતું.
આ કાર્યક્રમમાં હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, આગેવાન ડો.વિનુભાઈ ભંડેરી, કુમારપાલસિંહ રાણા, સિદ્ધાર્થ એનજીઓના પ્રમુખ દેવેન્દ્ર જાવીયા, ઉપ પ્રમુખ અરવિંદ સાદિયા, સભ્યો અંજલિબા ચુડાસમા, રવિન્દ્રસિંહ જાડેજા, શાળાના શિક્ષકો, ગ્રામજનો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial