Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સગીરાનું અપહરણ કરી જનાર શખ્સ મધ્યપ્રદેશમાંથી ઝબ્બે

એએચટીયુની ટીમે પકડી પાડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.ર૮ : જામનગરના એક વિસ્તારમાં રહેતી સગીરાનુું અપહરણ કરી જવા અંગે તાજેતરમાં એક શખ્સ સામે  ગુન્હો નોંધાયા પછી એએચટીયુની ટીમે આ સગીરા તથા આરોપીને મધ્ય પ્રદેશમાંથી પકડી પાડ્યા છે.

જામનગર જિલ્લામાંથી સગીર વયના ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે અપાયેલી એસપી પ્રેમસુખ ડેલુની સૂચનાના પગલે જામનગરની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ ટીમ દ્વારા પીઆઈ એ.એ. ખોખરના વડપણ હેઠળ તપાસ શરૂ કરાઈ હતી.

તે દરમિયાન સિટી બી ડિવિઝનમાં ચાલુ વર્ષે કરાયેલા એક સગીરના અપહરણના ગુન્હામાં આ ટીમને બાતમી મળી હતી કે, તે સગીરા તથા તેને નસાડી જનાર લાલપુર તાલુકાના આરબલુસ ગામનો હિતેશપરી નટુપરી ગોસ્વામી નામનો શખ્સ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા ગામમાં આવ્યા છે. તેથી ત્યાં દોડી ગયેલી આ ટીમે આરોપી તથા સગીરાને શોધી કાઢી જામનગર ખસેડવાની તજવીજ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh