Advertisement
Author: નોબત સમાચાર

ચાંદીબજારમાં ૪૧મા વર્ષે ગણેશોત્સવ

શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરમાં ચાંદીબજાર વિસ્તારમાં શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા ૪૧ મા વર્ષે પણ શ્રી ગણેશ મહોત્સવ નું વિષેશ આયોજન કરાયું છે. આ વખતે મુશક પાલખીની થીમ પર આધારિત ભગવાન ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરાશે, શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. પંઢરપુરના શ્રી વિઠ્ઠલ ભગવાન તેમજ ચાંદીની ગણપતિની મૂર્તિની પણ સ્થાપના કરાશે. પ્રતિદિન ધાર્મિક શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાશે.

જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા છેલ્લા ૪૦ વર્ષથી ગણેશ ઉત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે, અને પ્રતિદિન ગણપતિ દાદા ની મહાઆરતી ઉપરાંત મહા આરતી ધૂન ભજન શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન થાય છે.

 દર વર્ષની રીતે સતત ૪૧માં વર્ષે છેલ્લા ચાર દાયકાથી ગણેશ ઉત્સવનું આયોજન કરતાં જામનગરના ચાંદી બજાર સ્થિત શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા મૂષક પાલખી થીમ પર આધારિત ગણપતિ બાપાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. સાથે સાથે પંઢરપુરના શ્રી વિઠ્ઠલ ભગવાન તેમજ ચાંદીની ગણપતિની મૂર્તિ ની પણ સ્થાપના કરવામાં આવશે.

 આ વર્ષે મૂષક પાલખી ઉપર ગણપતિ બાપ્પા ની પ્રતિમા સાથે શ્રી ગણેશજીની મૂર્તિ સ્થાપિત થશે. મૂર્તિની સ્થાપના ૨૬ ઓગસ્ટને મંગળવાર સાંજે ૬ વાગ્યે વાજતે ગાજતે કરવામાં આવશે.

જામનગરના  ખંભાળીયા ગેઇટ, વિસ્તારમાંથી શોભાયાત્રા નો પ્રારંભ થશે અને ત્યાંથી હવાઈચોક, થઈ સેન્ટ્રલ બેંક રોડ માંડવી ટાવર થઇ ચાંદી બજાર વિસ્તારમાં પહોંચી ને શોભા યાત્રા પૂર્ણ થશે. ગણપતિ દાદાની સ્થાપના થયા બાદ ચાંદી બજાર વિસ્તારમાં પ્રતિદિન દૈનિક સવારે અને સાંજે મહારાષ્ટ્રીયન મરાઠી આરતી સ્પીકર વગર કરવામાં આવશે. ૩૧/૦૮/૨૦૨૫ ને રવિવારે ૧૫૧ દિવાનની મહા આરતી, રાત્રે ૮:૩૦ કલાકે, અને ભક્તિ સંગીત નો કાર્યક્રમ રાત્રે ૧૦:૦૦ કલાકે યોજાશે. તા ૦૨/૦૯/ ૨૦૨૫ ને મંગળવારે હર્ષિદા ગરબા મંડળ દ્વારા ભજન નો કાર્યક્રમ રાત્રે ૧૦:૦૦ કલાકે યોજાશે. તેમજ ૬/૦૯/ ૨૦૨૫ના ગણેશ વિસર્જન શોભાયાત્રા નીકળશે. જે બપોરે ૧૨:૦૦ કલાકે ચાંદીબજાર થી હવાઈચોક થઈ  એસટી  રોડ, સાત રસ્તા થઈ વિશાલ હોટલ ની પાસે જે.એમ.સી.ના બનાવેલા કૃતિમ કુંડમાં ભક્તિભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં જોડાવા ધર્મપ્રેમી લોકોને શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh