Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના ૭૫ લાખ જેટલી વસતિ ધરાવતા બ્રહ્મ સમાજનું ડિસેમ્બરમાં રાજકોટમાં સમ્મેલન

રાજકીય ક્ષેત્રે અવગણના થતાં ભૂદેવો ખફા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૩૦: ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા રાજ્યમાં ૭૫ લાખ જેટલી વસતિવાળા બ્રહ્મ સમાજની અવગણના થતા ડિસેમ્બરમાં રાજકોટમાં મહા સંમેલન યોજવામાં આવ્યું છે.

આજે જ્યારે નાના નાના સમાજો પણ સંગઠીત થાય છે તથા સંગઠન બળથી રાજ્યમાં રાજકીય પક્ષોમાં વર્તમાન મંત્રીમંડળમાં સ્થાન મેળવે છે ત્યારે ૯૦ ટકા ઉપરાંત બ્રાહ્મણો જે પક્ષમાં દિલથી જોડાયેલા છે તેવા ભાજપ દ્વારા થતી સતત અવગણના તથા અન્યાય થતો હોય, આગામી ડિસેમ્બરમાં રાજકોટમાં મહા સંમેલન થવા જઈ રહ્યું છે.

તાજેતરમાંં મળેલ એક બેઠકમાં પણ વિવિધ અગ્રણીઓ દ્વારા રાજકીય પક્ષો તથા હાલના ભાજપ સત્તાધારી પક્ષ દ્વારા પણ બ્રાહ્મણ આગેવાનોને સાઈડલાઈન કરાતા હોવાનો રોશ વ્યક્ત કરાયો હતો.

જો કે, આગામી સમયમાં  જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે બ્રહ્મસમાજ દ્વારા રાષ્ટ્રવાદીના નાતે અન્ય પક્ષમાં જવા ના બદલે નોટા ને મત આપીને તેમની થતી અવગણનાનો સત્તાધારી ભાજપને જવાબ મળે તેવું પણ આયોજન અમુક અગ્રણીઓ વિચારી રહ્યાનું પણ કહેવાય છે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં ગુજરાતના પ્રધાન મંડળના વિસ્તરણમાં પણ રાજયમાં ૭૫ લાખ જેટલી વસતિવાળા સમાજમાંથી બે મંત્રીઓને પણ લેવામાં નથી આવ્યા. !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh