Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાવ આવી જતાં કાનાલુસના યુવાન પર કાળનો પંજોઃ
જામનગર તા. ૨૩: કાલાવડના મોટા પાંચદેવડા ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા મહિસાગર જિલ્લાના શ્રમિક પરિવારના તરૂણનું ઉલ્ટીઓ થયા પછી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે લાલપુરના કાનાલુસના યુવાનનું તાવ આવી ગયા પછી બેભાન બની ગયા પછી મૃત્યુ થયું છે.
કાલાવડ તાલુકાના પાંચદેવડા ગામમાં કેયુર વિજયભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામના જયેશભાઈ શૈેલેષભાઈ કટારા ઉર્ફે મોન્ટુ (ઉ.વ.૧૭) નામના તરૂણને રવિવારની રાત્રે ઉલ્ટીઓ થવા માંડી હતી.
આ તરૂણને નાકમાંથી પણ ઉલ્ટી થઈ જતા સારવાર માટે કાલાવડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યાનું માતા જશોદાબેન શૈલેષભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે.
લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં વસવાટ કરતા કિશોરસિંહ જોરાવરસિંહ સોલંકી (ઉ.વ.૪૦) નામના યુવાનને હરસની બીમારીથી સારવાર માટે ઓશવાળ હોસ્પિટલમાં દાખલ કર્યા પછી ત્યાંથી રજા મળી હતી. તેના ત્રણેક દિવસ પછી કિશોરસિંહને તાવ આવ્યો હતો. જેમાં તેઓ બેભાન બની જતા ૧૦૮ મારફતે સિક્કા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ યુવાનનું મૃત્યુ થયાનું હિતેશસિંહ જોરાવરસિંહ સોલંકીએ પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial