Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રહીશોએ ઘંટનાદ્ સાથે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્રઃ
જામનગર તા. ૭: જામનગરમાં આવેલ નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં ખડકાયેલા ગેરકાયદે દબાણ અને તેના મારફત ભાડાના ઉઘરાણા થતા હોવાની ફરિયાદ સાથે ગઈકાલે જિલ્લા કલેક્ટરને ઘંટનાદ સાથે આવેદનપત્ર પાઠવી દબાણકારો સામે લેન્ડ ગ્રેબીંગના પગલાં લેવા માગણી કરવામાં આવી છે.
નંદધામ સોસાયટીમાં પ૪ પ્લોટ તથા કોમન પ્લોટ છે. આ સોસાયટીનો રહેણાંક માટેનો લે આઉટ પ્લાન્ટ મહાનગરપાલિકા દ્વારા મંજુર કરવામાં આવ્યો છે, પરંતુ આ સોસાયટીના કોમન પ્લોટમાં કોઈ શખ્સો દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે, અને તેના ભાડા ઉઘરાવાઈ રહ્યા છે.
આ મુદ્દે ગઈકાલે જામનગર જિલ્લા કલેક્ટરને સોસાયટીના રહીશો વગેરે દ્વારા આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે લેન્ડ ગ્રેબીંગ સહિતના પગલાં લેવા અને દબાણ અંગે કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial