Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બનાવટી ઈચ્છાપત્રના આધારે રિપોર્ટ મંજૂરનો હતો આક્ષેપઃ
જામનગર તા. ૪: દ્વારકાની શારદાપીઠના વર્તમાન શંકરાચાર્યની નિયુક્તિના ચેરિટી કમિશનરના નિર્ણય સામે હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી હતી. જેમાં બનાવટી ઈચ્છાપત્રના આધારે રિપોર્ટ મંજૂર થયાનો આક્ષેપ કરાયો હતો. તે રીટ અન્વયે રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી વડી અદાલતે ઈન્ચાર્જ ચેરિટી કમિશનરના નિર્ણયને બહાલી આપી છે.
દ્વારકામાં આવેલી શારદાપીઠના શંકરાચાર્યપદે આરૂઢ સદાનંદસરસ્વતીજીની નિમણૂક શંકરાચાર્ય નિમવાની પરંપરા અને રિવાજથી વિરૂદ્ધ જઈને કરવામાં આવી છે. તેમજ બ્રહ્મલીન સ્વામી સ્વરૂપાનંદજીના ખોટા ઈચ્છાપત્રના આધારે સદાનંદ સરસ્વતીની દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ નિયુક્તિ અંગેના ચેઈન્જ રિપોર્ટને પણ ઈન્ચાર્જ આસીસ્ટન્ટ ચેરિટી કમિશનર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે તેવા આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં ગોવિંદાનંદ સરસ્વતી દ્વારા રીટ કરવામાં આવી હતી.
તે રીટમાં ઉપરોક્ત ગંભીર આક્ષેપ ઉપરાંત સ્વામી સદાનંદ સરસ્વતીની નિમણૂક કાયદા મુજબ યોગ્ય નથી અને પરંપરા મુજબ દંડીસ્વામીમાંથી શંકરાચાર્ય બનતા હોય છે અને તેના કેટલાક નીતિ નિયમો પણ ચૂસ્તપણે અનુસરવામાં આવતા હોય છે તે પ્રસ્તુત કેસમાં અનુસરાયા નથી તેમ પણ જણાવાયું હતું.
ઉપરોક્ત રીટ અન્વયે બંને પક્ષ દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી. જેમાં સરકારે પક્ષે જણાવ્યું હતંુ કે, અરજદાર પાસે ચેરિટી કમિશનર સમક્ષ જવાનો વિકલ્પ ખૂલો હતો તેમજ હાલની અરજી ઉપરોક્ત નિર્ણયના ત્રણ વર્ષ પછી કરવામાં આવી છે અને ખાસ કરીને આ અરજદારે સ્વામી સદાનંદ સરસ્વતીની દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય તરીકેની નિમણૂકને પડકારી જ નથી પરંતુ તેઓએ આસી. ચેરિટી કમિશનરના ચેન્જ રિપોર્ટના નિર્ણયને પડકાર ફેંક્યો છે. તે દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે ચેરિટી કમિશનરના નિર્ણયને બહાલી આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial