Advertisement
Author: નોબત સમાચાર

રંગમતિ નદી ઊંડી ઉતારવાના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપઃ તપાસની માંગણી

મનપા વિપક્ષના દંડક દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરમાં રંગમતિ નદી ઊંડી ઉતારવાના કામમાં વગર ટેન્ડરે રૂા. ૮ કરોડ પ૦ લાખ જેવી રકમનો ખર્ચ સ્થાયી સમિતિએ મંજુર કર્યો છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ રૂપિયા  પાંચ લાખથી વધુ રકમના કામ માટે ટેન્ડર પ્રક્રિયા કરવી ફરજિયાત છે, પણ જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓએ તમામ નિયમો નેવે મૂકીને પોતાની ખાનગી પેઢી હોય તેમ વર્તી રહ્યા છે અને ટેન્ડર પ્રક્રિયા વગર જ રૂપિયા ૮.પ૦ કરોડ જેવી રકમ મંજુર કરી દીધી છે. આ પ્રકરણમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આક્ષેપ મનપા વિપક્ષના દંડક સમજુબેન પારિયાએ કર્યો છે.

રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે આ કામનું ટેન્ડર શા માટે બહાર પાડવામાં આવ્યું નહીં? આ કામના એસ્ટીમેટ, ટેકનિકલ રિપોર્ટ, મેજરમેન્ટ શીટ, વગેરે પ્રક્રિયા કરવામાં આવી જ નથી. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી કૌભાંડ થયું હોવાનું સમજાય છે. તેમણે સીધો આક્ષેપ કરી જણાવ્યું હતું કે સિટી એન્જિનિયર જ જવાબદાર છે.

આ પ્રકરણમાં વિજિલન્સ દ્વારા તપાસ કરી કડક પગલાં લેવા, પેમેન્ટ નહીં કરવા માગણી કરવામાં આવી છે. જો યોગ્ય અને ત્વરિત કામગીરી નહીં કરવામાં આવે તો અદાલતનો આશરો લેવાની ફરજ પડશે તેવી ચિમકી આપી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh