Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી'માં મણિયાર શેરીમાં યોજાતી પ્રાચીન ગરબીમાં સાદગી અને ભક્તિનો સમન્વય

શ્રી ભવાની માતાના સાંનિધ્યમાં શુદ્ધ શક્તિ આરાધનાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: 'છોટીકાશી' જામનગરમાં અમુક પ્રાચીન ગરબીઓ એવી છે જે અડધી સદીથી પણ વધુ પ્રાચીન હોય અને તેના મૂળ સ્વરૂપે જ યથાવત્ હોય, સેતાવાડ પાસે મણિયાર શેરીમાં શ્રી ભવાની માતા મંદિર પાસે, જય ભવાની કુમારિકા ગરબી મંડળ દ્વારા યોજાતી ગરબી પણ આવી જ એક ગરબી છે. છેલ્લા ૮૦ વર્ષથી યોજાતી આ ગરબીમાં લાઉડ સ્પિકરનો ઉપયોગ કરવામાં આવતો નથી. નવરાત્રિ દરમિયાન પુરુષો સૌ પ્રથમ શ્રી ભવાની માતાના મંદિરે છંદો ગાય છે એ પછી બાળાઓ ચોકમાં બનાવવામાં આવેલ ચંદરવામાં ગરબે રમે છે. બાળાઓ ગરબા ગાતા ગાતા જ ગરબા રમે છે, જે માટે તેઓને નવરાત્રિ પહેલા લગભગ એક મહિનો તાલીમ આપવામાં આવે છે.

આ નવરાત્રિનું મણિયાર શેરીના સ્થાનિકો પરિવારના પ્રસંગની જેમ આયોજન કરે છે. સૌ હળી મળીને વિવિધ જવાબદારીઓ ઉપાડી લે છે. યુવાનો ડેકોરેશન વિગેરે બાબતો સંભાળે છે. પ્રતિદિન માતાજીનો શ્રૃંગાર મુંજાલા ભરતભાઈ સોની (એમ.જે. સોની) દ્વારા કરવામાં આવે છે.

આમ અર્વાચીન નવરાત્રિના વધતા ટ્રેન્ડ વચ્ચે પણ આ નવરાત્રિ સાદગી અને ભક્તિના સમન્વયને કારણે તેના મૂળ સ્વરૂપે યથાવત્ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh