Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી'માં શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે પ્રાચીન ગરબીની જમાવટ

૧૫૧ વર્ષથી સુવર્ણકાર મંડળ સંચાલિત ગરબીમાં સાતમા નોરતે 'ઈશ્વર વિવાહ'ની ઉજવણીઃ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં ચાંદીબજાર વિસ્તારમાં આવેલ શ્રી વાઘેશ્વરી માતાજીનાં પ્રાચીન મંદિરે સુવર્ણકાર અર્થાત વિસા શ્રીમાળી સોની સમાજ દ્વારા ૧૫૧ વર્ષથી ચાલતી નવરાત્રિમાં પરંપરાગત રીતે ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં કુમારીકાઓ-બાળાઓ ગરબે ઘૂમી આદ્યશક્તિની આરાધના કરે છે. ગઇકાલે સાતમા નોરતે અહી ઈશ્વર વિવાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિ અગ્રણીઓ, વેપારીઓ તથા જ્ઞાતિજનો જોડાયા હતાં. આ પ્રાચીન ગરબી સાદગી અને શ્રદ્ધાના સમન્વય સમાન છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh