Advertisement
Author: નોબત સમાચાર

સતવારા સોશ્યલ ગ્રુપ દ્વારા ૩૧મો વિદ્યોતેજક ઈનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

૧૬૨ વિદ્યાર્થીઓને કરાયા સન્માનિતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: સતવારા સોશ્યલ ગ્રુપ-જામનગર દ્વારા સતવારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ૩૧મો વિદ્યોતેજક ઈનામ વિતરણ સમારંભ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ટાઉનહોલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ધો. ૧થી ઉચ્ચ ડિગ્રી અભ્યાસ કરનારા કુલ ૧૬૨ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સહમંત્રી મગનભાઈ પરમારે કર્યું હતું.

આ તકે શિલ્ડના મુખ્ય દાતા માવજીભાઈ નકુમ (પ્રમુખ હરિદ્વાર સતવારા સમાજ) અને મુખ્ય દાતા શૈલેષભાઈ પરમાર (કંકુ હોટલવાળા), સાંસદ પૂનમબેન માડમ, રાજ્ય કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પ્રશાંતભાઈ કોરાટ (અધ્યક્ષ, યુવા મોરચા ગુજરાત પ્રદેશ), જમનભાઈ રાઠોડ (પ્રમુખ સતવારા સમાજ-જામનગર), વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હોવાનું મંત્રી શ્યામભાઈ કણજારીયાએ જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh