Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાનાભાઈનું પોલીસે નિવેદન નોંધ્યંુ:
જામનગર તા. ૨૦: જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના રેલવે ટ્રેક પરથી ત્રણ સપ્તાહ પહેલાં ચાલીને જતાં એક યુવાન ટ્રેન હડફેટે ચડી ગયા પછી મૃત્યુ પામ્યા છે. તેમના નાનાભાઈએ પોલીસને જાણ કરી છે.
જામજોધપુરના તરસાઈ ગામમાં આવેલા રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પરથી ગઈ તા.૩૧ની રાત્રે પોરબંદરના શહીદી ચોકમાં રહેતા સાહિલ વિજયભાઈ જુંગી નામના સત્યાવીસ વર્ષના યુવાન ચાલીને જતા હતા.
તે યુવાન કોઈ ટ્રેન હડફેટે ચઢી ગયા હતા. ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જામજોધપુર પોલીસમાં મૃતકના નાનાભાઈ ક્રીશ જુંગીએ જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial