Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમાકુ અધિનિયમ અંતર્ગત વ્યનમૂક્તિ અંગે માર્ગદર્શનઃ
જામનગર તા. ૫: જામનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ-જામનગર ટીમ દ્વારા લાલપુર તાલુકાના હરીપર ગામની એમ.પી.શાહ માધ્યમિક શાળામાં તમાકુ વિરોધી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં તમાકુથી થતા નુકસાન અંગે બાળકોને સમજણ આપવામાં આવી હતી સાથે વ્યસન મુક્તિ અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. આ સાથે વકતૃત્વ, ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોને ઈનામ વિતરણ કરાયું હતું.
જિલ્લા આઈ.સી.સી. અધિકારી નિરજ મોદી તથા ટોબેકો કાઉન્સીલર નઝમાબેન દ્વારા બાળકોને વ્યસન મૂક્તિ અંગે માર્ગદર્શન અપાયું હતું અને શાળાને ટોબેકો ફ્રી એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટશન કરવાની કામગીરી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial