Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાલખામાં દિવ્ય ઉત્સાહ સ્વરૂપ
જામનગર તા. ૧: સેવાભાવ સમર્પણ અને માનવતાના દિવ્ય ઉત્સવ સ્વરૂપ, ૭૮મા વાર્ષિક નિરંકારી સંત સમાગમની ભૂમિ સેવાઓનો શુભારંભ રવિવાર તા. ૨૮-૯-૨૫એ સત્ગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીના પાવન કરકમલોથી નિરંકારી આધ્યાત્મિક સ્થળ, સમાલખા ખાતે કરવામાં આવ્યું હતું. આ સમાગમ તા. ૩૧ ઓક્ટોબરથી ૩ નવેમ્બર સુધી યોજાઈ રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક નિરંકારી સંત સમાગમની સેવાઓની શરૂઆત એક અત્યંત ભાવપૂર્ણ ક્ષણ સાથે થઈ, જ્યારે સત્ગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીએ પોતાના પવિત્ર હાથે સેવા સ્થળનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દૃશ્ય માત્ર એક પરંપરાનું પાલન ન હતું, પરંતુ સેવા, શ્રદ્ધા અને માનવતા પ્રત્યેની ઊંડી નિષ્ઠાનું જીવંત પ્રતિબિંબ બની રહ્યું. આ શુભ અવસરે મિશનની કાર્યકારિણી સમિતિ, કેન્દ્રીય સેવાદળ અધિકારીઓ તેમજ હજારો શ્રદ્ધાળુઓ સેવાભાવથી ભરપૂર થઈને ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય દિવ્ય આયોજનની તૈયારીઓની સેવાઓમાં ભાગ લેવા માટે દેશભરથી તેમજ ગુજરાતમાંથી હજારો સેવાદળ સ્વયંસેવકો અને અન્ય સેવાદાર ભક્તો સમલખા (હરિયાણા) સ્થિત નિરંકારી આધ્યાત્મિક સ્થળ તરફ રવાના થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial