Advertisement
Author: નોબત સમાચાર

રંગમતિ-નાગમતિ નદી ઊંડી ઉતારવાના કામ અને ચૂકવણાની માહિતી માંગતા તંત્રમાં દોડધામ

રૂ. ૮.પ૯ કરોડનું ચૂકવણું:

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ જામનગરની રંગમતિ-નાગમતિ નદીને ઊંડી ઉતારવાનું કામ ખાનગી કંપનીઓના સહકારથી જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત થઈ હતી.

પણ... આ કામ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર કે ગૂપચૂપ રીતે કરીને નદી ઊંડી ઉતારવાનું કામ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિએ આ કામના રૂ. ૮.પ૯ કરોડ ચૂકવ્યા હોવાની જાહેરાત થતાં વિરોધપક્ષે ઉગ્ર વિરોધ સાથે તપાસની માગણી કરી હતી.

હવે આ પ્રકરણમાં ન.પ્રા.શિ. સમિતિના પૂર્વ સદસ્ય નીતિનભાઈ માડમે માહિતી અધિકાર હેઠળ સંખ્યાબંધ મુદ્દાઓ અંગે માહિતી માગતા મનપા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

દરેડના ખોડિયાર મંદિરથી વ્હોરાના હજીરા સુધીની નદી ઊંડી ઉતારવા કન્સલ્ટન્ટની નિમણૂકનો ઠરાવ, ટેન્ડર પ્રક્રિયા, તેની શરતો, ખાણ-ખનિજ વિભાગની મંજુરી, ખોદાણ દરમિયાન મળેલ ખનિજના જથ્થા તથા તેની રોયલ્ટી, આ કામ માટે નિયુક્ત અધિકારી તથા સુપરવાઈઝરો દ્વારા તૈયાર કરવામાં આવેલ ડે-ટુ-ડે ના રોજકામના રિપોર્ટ, ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી, મશીનરી રેકર્ડસ, કોન્ટ્રાક્ટરે રજૂ કરેલા બીલ અને ઓડીટ રિપોર્ટ સહિતના મુદ્દાઓ અંગે માહિતી માંગવામાં આવી છે.

આ પ્રકરણની માહિતી જાહેર થયા પછી આખો મામલો વિજિલન્સ તપાસ સુધી પહોંચે તેવી શક્યતા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh