Advertisement
Author: નોબત સમાચાર

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની રમતની ભરપૂર પ્રસંશા કરતા જામનગરના જામસાહેબ

                                                                                                                                                                                                      

જામનગરના ગૌરવ એવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની ઈંગ્લેન્ડની ધરતી પર ખાસ કરીને ત્રીજા ટેસ્ટ મેચમાં ધૈર્યપૂર્ણ બેટીંગ સહિતન ઓલરાઉન્ડ રમતના પ્રદર્શનની જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યાસિંહજી જાડેજાએ એક નિવેદનમાં ભરપૂર પ્રસંશા કરી છે. તેમણે જણાવ્યાનુસાર રવિન્દ્ર જાડેજાએ ખરેખર જામનગરનું ક્રિકેટરની રમતમાં પાણી બતાવ્યું છે. જેના માટે પોતે તેમજ જામનગરના સૌ ક્રિકેટર ગૌરવની લાગણી અનુભવે છે. રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતના ત્રણેય ફોર્મેટમાં ૬૦૦ વિકેટ અને ૭૦૦૦ રન કરવાની સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ મેળવનાર ભારતના કપિલ દેવ પછી બીજો ભારતીય ઓલરાઉન્ડર અને વિશ્વનો ચોથો ક્રિકેટર બન્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh