Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શુક્રવારની રાત્રે તસ્કરોનો ખળભળાટઃ
જામનગર તા. ૫: કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં આવેલા ત્રણ મંદિરમાં શુક્રવારની રાત્રિથી શનિવારની સવાર સુધીમાં કોઈ તસ્કરોએ ખાતર પાડી રૂ. ૪૪૬૫૦ની મત્તાની ચોરી કરી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં આવેલા વાછરા ડાડાના મંદિર ઉપરાંત મચ્છુ માતાના મંદિર અને મેલડી માતાના મંદિરમાં ગયા શુક્રવારની રાત્રિથી સવાર સુધીમાં ચોરી થઈ છે.
ઉપરોક્ત મંદિરોમાં ઘૂસી ગયેલા તસ્કરોએ કુલ રૂ. ૪૪૬૫૦ની મતા ઉઠાવી લીધી છે. વાછરા ડાડાના મંદિર તેમજ ગમારા પરિવારના મચ્છુ માતાના મંદિર અને મેલડી માતાના મંદિરમાં રાત્રિના અગિયાર વાગ્યાથી સવારના છ વાગ્યા દરમિયાન ઉપરોક્ત ચોરી થઈ છે.
વાછરા ડાડાના મંદિરમાં રાખવામાં આવેલી દાનપેટીનું તાળુ તોડી તેમાંથી રૂ. ૩૦ હજાર રોકડા તેમજ રૂ. ૧૨ હજારની કિંમતનો સોનાનો પારો ચોરી કરી લીધો હતો. જ્યારે મચ્છુ માતાના મંદિરમાંથી રૂ. ૧૫૦ રોકડા અને મેલડી માતાના મંદિરની દાનપેટીમાંથી રૂ. ૨૫૦૦ રોકડા ચોરી તસ્કરો નાસી ગયા છે. ભીખાભાઈ બાબુભાઈ ગોલતરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial