Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં તંત્ર સર્જિત 'અકસ્માત ઝોન'
તાજેતરમાં જામનગરના હાપામાં ખોદકામ કરેલા રસ્તામાં એક કાર ખાબકી હતી. બેરીકેડના અભાવે આ અકસ્માત થયો હતો. એ પછી પણ તંત્ર જાગ્યું નથી. શહેરની વચ્ચોવચ આવેલા ઐતિહાસિક ઈમારત ખંભાળીયા ગેઈટ પાસે માધવરાયજી મંદિર પાસે તથા શેઠ ભગવાનદાસ રોડ તરફ જતા માર્ગ પર ખોદકામ કરવામાં આવેલ છે. પરંતુ અહીં કોઈ બેરીકેડ કે ભયજનક સૂચના દર્શાવતું બોર્ડ પણ લગાડવામાં આવ્યું નથી. આ રસ્તો ખંભાળીયા ગેઈટથી દિગ્વિજય પ્લોટ તરફ જતા મુખ્ય રસ્તાની સમાંતર છે ત્યારે ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં તંત્રની બેદરકારીને કારણે અકસ્માત સર્જાવાની ભીતી છે. સરકારી દાવાઓ મુજબ વિકાસ કરવા ટેવાયેલા તંત્ર પાસે કદાચ વિકાસ કાર્યો ખૂટી પડ્યા હશે, એટલે હવે 'અકસ્માત ઝોન' પણ બનાવવા લાગ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial