Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯: જામનગરમાં ચર્ચાસ્પદ બનેલા કરોડો રૂપિયાની જમીનના સોદામાં સહવારસદાર મધુબેન નાથાભાઈ નકુમની જાણ કે સંમતિ વગર અન્ય વારસદારોએ સહી સિક્કા કરી જમીન વેંચાણ કરી નાંખતા અને તે અંગેના સતાવાર દસ્તાવેજ પણ કરાવી લેતા અદાલતમાં તેમજ જિલ્લા કલેક્ટર સમક્ષ કેસ દાખલ કર્યો છે.
આ પ્રકરણમાં જામનગર શહેરના પ્રાંત અધિકારીએ જામનગર શહેરના મામલતદાર, પ્રાંત અધિકારી જયેન્દ્ર રાઘવજીભાઈ મુંગરા સહિત ર૬ આસામીઓને તા. ૧૧મી સપ્ટેમ્બર-ર૦રપ ના સુનાવણીમાં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે.
આ જમીન સોદામાં સહવારસદારની જાણ, સંમતિ કે પ્રત્યક્ષ હાજરી વગર દસ્તાવેજ નોંધણી કચેરીમાં આધાર-પુરાવાની ચકાસણી અને તમામ સહવારસદારોની હાજરી અંગે ખરાઈ કેવી રીતે થઈ તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
આ સોદાના કેસ ઉપરાંત અન્ય આ જ પ્રકારના સોદામાં રાજ્યના કેબિનેટ મંત્રીના પુત્ર, ધારાસભ્યના પિતા, અગ્રણી લેન્ડ ડેવલપર-બિલ્ડર સહિતના ખરીદનારાઓના નામ બહાર આવતા કેસ વધુ વિવાદાસ્પદ બની રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial