Advertisement
Author: નોબત સમાચાર

મુંબઈ ટ્રેન સિરિયલ બ્લાસ્ટના તમામ આરોપીઓ નિર્દોષઃ મુંબઈ હાઈકોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

નીચલી કોર્ટે ૧૩માંથી ૧૨ આરોપીઓને સજા સંભળાવી હતીઃ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૨૧: મુંબઈ હાઈકોર્ટે ૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ થયેલા મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ મુદ્દે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ મામલે નીચલી કોર્ટમાં દોષિત ઠરેલા ૧૨માંથી હયાત તમામ આરોપીને તમામ આરોપોમાંથી મુકત કર્યા છે. જયારે એક આરોપીની અપીલ પ્રક્રિયા દરમિયાન મૃત્યુ થયું હતું. ૧૯ વર્ષ બાદ આવેલા આ ચુકાદામાં હાઈકોર્ટે નોંધ્યું કે, આરોપીઓ પાસે દબાણપૂર્વક ગુનો કબૂલવામાં આવ્યો છે. જે કાયદાકીય રીતે માન્ય નથી.

આજે મુંબઈ હાઈકોર્ટે મુંબઈ ટ્રેન પ્લાસ્ટ કેસમાં તમામ ૧૨ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. આ ઐતિહાસિક ચુકાદો આપતા હાઈકોર્ટે કહ્યું હતું કે ફરિયાદ પક્ષ આરોપીઓ સામેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. ઘટનાનાં ૧૯ વર્ષ પછી આ ચુકાદો આવ્યો છે. ન્યાયાધીશ અનિલ કિલોર અને ન્યાયાધીશ શ્યામ ચાંડકની ખાસ બેન્ચે જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા આરોપીને દોષિત ઠેરવવા માટે નિર્ણાયક નથી.

હાઇકોર્ટની સ્પેશિયલ બેન્ચે જણાવ્યું હતું કે, આ મામલે રજૂ કરવામાં આવેલા પુરાવા વિશ્વસનીય નથી. અનેક સાક્ષીઓની જુબાની સંદિગ્ધ હતી. રજૂ કરવામાં આવેલા પુરાવામાં ગંભીર ખામીઓ હતી. અમુક સાક્ષીઓ વર્ષો સુધી ચૂપ રહૃાા અને બાદમાં અચાનક આરોપીની ઓળખ કરવા લાગ્યા, જે અસામાન્ય છે. ઉલ્લેખનીય છે, આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવતાં પોલીસ અને સીબીઆઇની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે કે, તેઓ ૧૯ વર્ષ બાદ પણ આ બ્લાસ્ટના વાસ્તવિક આરોપીની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી હોવાનુ પુરવાર થાય છે.

હાઇકોર્ટે આગળ કહૃાું કે, આરોપીઓ વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા પુરાવામાં ગંભીર ખામીઓ જોવા મળી હતી. સુરક્ષા એજન્સીઓને પડકારતાં બચાવ પક્ષના તર્કોને ન્યાયસંગત માનવામાં આવ્યા છે. અમુક એવા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જે નક્કર નથી. કથિત આરડીએક્સ અને અન્ય સામગ્રીની જપ્તી મુદ્દે પણ સાયન્ટિફિકલી કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી. સાક્ષીની જુબાની, તપાસ અને પુરાવા નક્કર નથી.

આરોપીઓ સાબિત કરવામાં સફળ રહૃાા કે, તેમની પાસે જબરદસ્તી કબૂલાતનામું લેવામાં આવ્યું હતું. જજની પેનલે કહૃાું કે, અમે અમારા કર્તવ્યનું પાલન કર્યું છે. તે અમારી જવાબદારી હતી. વીડિયો કોન્ફરન્સ મારફત જોડાયેલા દોષિતો હાઇકોર્ટના ચુકાદા બાદ અમરાવતી, નાસિક, નાગપુર અને પૂણેની જેલમાં રડી રહૃાા હતા.

વરિષ્ઠ વકીલ યુગ મોહિત ચૌધરી આ કેસમાં આરોપી તરફથી લડી રહૃાા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ ચુકાદો તે તમામ લોકો માટે આશાનું કિરણ બન્યો છે, જે વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહૃાા હતા. સરકારી વકીલ રાજા ઠાકરેએ આ નિર્ણયને માર્ગદર્શક ગણાવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ ૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ મુંબઈના ટ્રેનના સાત કોચમાં એક-બાદ-એક બોમ્બ બ્લાસ્ટ થયા હતાં. જેમાં ૧૮૯ મુસાફરો માર્યા ગયા હતાં, અને ૮૨૪ લોકો ઘાયલ થયા હતા. ૧૧ જુલાઈના રોજ સાંજે ૬.૨૪થી ૬.૩૫ વાગ્યે એક પછી એક સાત વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ ખાર, બ્રાંદા, જોગેશ્વરી, માહિમ, બોરીવલી, માટુંગા અને મીરા-ભાયંદર રેલવે સ્ટેશન પાસે થયા હતા. જેમાં ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. નીચલી કોર્ટે પાંચ લોકોને મૃત્યુદંડ અને સાત લોકોને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

બોમ્બ વિસ્ફોટના આરોપી ૧૨ લોકોમાં કમાલ અહેમદ અંસારી (૩૭), તવીર અહેમદ અંસારી (૩૭), મોહમ્મ્દ ફૈઝલ શેખ (૩૬), એહતેશામ સિદ્દીકી (૩૦), મોહમ્મદ માજિદ શફી (૩૨), શેખ આલમ શેખ (૪૧), મોહમ્મ્દ સાજિદ અંસારી (૩૪), મુઝમ્મિલ શેખ (૨૭), સોહેલ મહમૂદ શેખ (૪૩), જમીર અહેમદ શેખ (૩૬), નવીદ હુસૈન ખાન (૩૦) અને આસિફ ખાન (૩૮)નો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh