Advertisement
Author: નોબત સમાચાર

જામનગરઃ દિગ્વિજય પ્લોટમાં રખડતા પશુઓને કારણે આખી ગલી 'બ્લોક'...

આવી ગલીઓને 'ઓપન પાંજરાપોળ' જાહેર કરી દેવી જોઈએઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: જામનગરમાં રખડતા પશુઓની સમસ્યા નિવારવી એ તંત્રની 'તાકાત' બહારનું કાર્ય છે, એ હવે જનતા સમજી ચૂકી છે. રખડતા પશુઓ પકડવાની કામગીરી કે ઘાસચારા જપ્તીની કાર્યવાહી થોડીક કડક કરવામાં આવે તો પશુપાલકો નેતાઓ પાસે દોડી જાય છે અને વોટબેંકની ચિંતામાં સત્તાધીશો 'ઢીલા' પડી જાય છે, એટલે ફરી કામગીરી 'હળવી' અને 'નામ પૂરતી' કરી નાખવામાં આવે છે. એટલે કે રખડતા પશુઓથી ત્રસ્ત જનતા અને પશુપાલકો બન્નેને સાચવી લેવાન ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવે છે. જેને પ્રતાપે નગરના માર્ગો અને શેરી-ગલીઓમાં 'પશુરાજ' યથાવત રહે છે. પ્રસ્તુત તસ્વીરમાં દિગ્વિજય પ્લોટ શેરી નં. ૧ર માં રખડતા પશુઓએ આખી ગલીમાં અડીંગો જમાવેલો હોય એ દૃશ્ય જોવા મળે છે. સ્થાનિકોની અનેક રજૂઆત પછી પણ તંત્ર કોઈ કાર્યવાહી કરતુ નથી. કારણ કે, સત્તાધીશોને ફક્ત 'મત'ની ચિંતા છે, 'મતદારો' ની કોઈ ચિંતા નથી. આવી ગલીઓને મનપાએ 'ઓપન પાંજરા૫ોળ' જાહેર કરી દેવી જોઈએ જેથી આ નવો કોન્સેપ્ટ આપનાર મહાનગરપાલિકા તરીકે પણ કોઈ એવોર્ડ જામ્યુકોને મળી જાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh