Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જય જલીયાણ ઉત્કર્ષ મંડળ દ્વારા 'જલીયાણ નવરાત્રિ મહોત્સવ' યોજાયો

અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખની ઉપસ્થિતિઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના જય જલીયાણ ઉત્કર્ષ મંડળ દ્વારા છેલ્લા ૨૨ વર્ષોથી જલીયાણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ૧૨ વર્ષ સુધીના બાળકો-બાળાઓ અને ૧૩ વર્ષ સુધીના બહેનો ભાગ લ્યે છે.

આ નવરાત્રિ મહોત્સવ દરમ્યાન દરરોજ ખેલૈયાઓ વચ્ચે જુદી-જુદી સ્પર્ધા યોજવામાં આવે છે. નવરાત્રિ ઉત્સવમાં ભાગ લેનાર તમામને નાસ્તો, લ્હાણી, વિજેતાઓને ઈનામો આપવામાં આવે છે. મંડળ દ્વારા જલીયાણ પરિવાર સંગઠનની સ્થાપના કરવામાં આવી છે.

આ નવરાત્રિ મહોત્સવમાં ચોથા નોરતે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તથા એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ લાલે ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

મંડળની વધુ વિગતો માટે ડો. રક્ષાબેન દાવડા મો.૯૯૨૫૧૮૯૦૮૪નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh