Advertisement
Author: નોબત સમાચાર

આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત મહિલા વૃદ્ધાશ્રમમાં આરોગ્ય કેમ્પઃ આયુષ્માન કાર્ડ અપાયા

સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિશ્વ વૃદ્ધ દિવસ ઉજવણીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: સમાજ સુરક્ષા કચેરી, જામનગર દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અભિયાનના ભાગરૂપે તા. ૧ ઓક્ટોબરના વિશ્વ વૃદ્ધ દિવસની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે આણંદાબાવા સેવા સંસ્થા સંચાલિત મહિલા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ માતાઓ માટે મેડિકલ હેલ્થ ચકાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્ય કેમ્પમાં આરોગ્ય વિભાગની વિશેષ મેડિકલ ટીમ ઉપસ્થિત રહી હતી. આ ટીમ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતી તમામ માતાઓનું ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. અને જરૂરિયાત મુજબની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત જે અંતેવાસી બહેનો/માતાઓના આયુષ્માન કાર્ડ હજુ સુધી નીકળ્યા ન હતા, તે તમામ બહેનોને આ કેમ્પમાં સ્થળ પર જ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા, જેથી તેઓ વિનામૂલ્યે સારવારનો લાભ લઈ શકે.

આ સેવાકીય અને સન્માન કાર્યક્રમમાં આણંદાબાવા સંસ્થાના કિશોરભાઈ સંઘાણી, સમાજ સુરક્ષા અધિકારી હસમુખભાઈ રામાણી, ચીફ ઓફિસર મનોજભાઈ વ્યાસ સહિત સમાજ સુરક્ષા કચેરીનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. મીનાક્ષીબેન જાની દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh