Advertisement
Author: નોબત સમાચાર

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિજ્યાદશમીએ સરસ્વતી સન્માન સમારોહ

ધી રાજપૂત સ્પોર્ટસ એન્ડ સ્ટડી સર્કલ અને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: રાજપૂત સ્પોર્ટસ એન્ડ સ્ટડી સર્કલ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ-જામનગર દ્વારા દશેરા નિમિત્તે તા. ર-૧૦-ર૦રપ ગુરુવાર (વિજ્યાદશમી) ના બપોરે ર-૩૦ થી ૬-૩૦ કલાકે જામનગર શહેર ટાઉનહોલ-જામનગરમાં રાજપૂત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સત્કારવાનો ૪૪ મો સરસ્વતી સન્માન સમારોહ-ર૦રપ નું આયોજન કરવામાં આવ્યું છે.

રાજપૂત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેને ધો. ૧ થી ૯ મા ૯૦ ટકા કે તેથી વધુ તેમજ ધો. ૧૦-૧૧ મા ૭પ ટકા કે તેથી વધુ અને એફવાય-એસવાય-ટીવાય (સ્નાતક અને અનુસ્નાતક) માં ૬૦ ટકા કે તેથી વધુ ટકાવારી સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓએ માર્કશીટની પ્રમાણીત ઝેરોક્ષ નકલ તા. ૧૦-૯-ર૦રપ સુધીમાં બાશ્રી હીરાબા રામસિંહજી જાડેજા રાજપૂત કન્યા છાત્રાલય, સરૂસેક્શન રોડ, જામનગરમાં રજૂ કરવા તેમજ કાર્યક્રમમાં સમગ્ર જામનગર જિલ્લાના રાજપૂત સમાજને ઉપસ્થિત રહેવા જિલ્લા પ્રભારી દિલીપસિંહ જેઠવાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh