Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે સપ્તાહ પૂર્વે સર્જાયો હતો અકસ્માતઃ
જામનગર તા. ૮: ખંભાળિયા નજીકના સલાયા રોડ પર ગોઈંજ નજીકની દરિયાની ખાડીમાં ગઈ તા.ર૪ના દિને એક ઈકો મોટર ગોથું મારીને ખાબકી હતી. આ અકસ્માતમાં સોનારડી ગામના દેરાણી-જેઠાણીના મૃત્યુ નિપજ્યા છે. અન્ય એક યુવાનને ઈજા થઈ છે.
ખંભાળિયા તાલુકાના સોનારડી ગામમાં રહેતા જયાબા અશોકસિંહ જાડેજા તેમજ તેમના પુત્ર હરપાલસિંહ અને જયાબાના દેરાણી રેખાબા સુખદેવસિંહ જાડેજા, ભત્રીજા હરેન્દ્રસિંહ ગઈ તા.ર૪ના દિને ચુડેશ્વરમાં રહેતા મહેન્દ્રસિંહ જેમલજી જાડેજાની મોટરમાં સોનારડી ગામ પાસેથી જતા હતા.
આ વેળાએ મોટરના ચાલક જામનગર નજીકના ઢીંચડા ગામના મોહસીન નાગાણીએ મોટર પરનો કાબૂ ગૂમાવતા મોટર નજીકમાં આવેલી સલાયા ગોઈંજ રોડ પરની દરિયાની ખાડીમાં ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતમાં રેખાબા સુખદેવસિંહ અને જયાબા અશોકસિંહ જાડેજા વધુ પડતું પાણી પી જતા તેઓના મૃત્યુ નિપજ્યું છે.
સાથે રહેલા હરેન્દ્રસિંહને પણ ઈજા થઈ હતી. તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. અશોકસિંહ ભાયાજી જાડેજાએ સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં મોટરચાલક મોહસીન સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial