Advertisement
Author: નોબત સમાચાર

સારવારના ખર્ચનું વળતર ચૂકવવામાં અખાડા કરનાર વીમા કંપનીને લપડાક

વ્યાજ સાથે વળતર આપવા ફોરમનો હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના એક આસામીએ પોતાના પત્નીની બીમારીની સારવાર માટે વીમા કંપની સમક્ષ ક્લેઈમ કરતા તેને રદ્દ કરાયો હતો. ગ્રાહક ફોરમમાં તેની ફરિયાદ થતાં ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવી આપવા આદેશ કર્યાે છે.

જામનગરના સંદી૫ભાઈ કિશોરભાઈ સોલંકી નામના આસામીએ કેર હેલ્થ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી મેડિક્લેઈમ મેળવ્યા પછી તેમના પત્નીને બીમારી થતાં તેઓએ ઓપરેશન કરાવવું પડ્યું હતું.

ઓપરેશનમાં રૂ.૩,૫૩,૪૦૩નો ખર્ચ થયો હતો. તેના બીલ સહિતની તમામ વિગતો સાથે રાખી સંદીપભાઈએ વીમા કંપની સમક્ષ ક્લેઈમ કર્યાે હતો. તે રકમ ચૂકવવાના બદલે વીમા કંપનીએ કલેઈમ રદ્દ કરતા સંદીપભાઈએ વાંધો રજૂ કર્યાે હતો. તે મુજબની રકમ ન ચૂકવવામાં આવતા વીમા કંપની સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ.૩૧૩૪૦૩ની રકમ છ ટકા વ્યાજ સાથે અને રૂ.૪૦ હજાર ખર્ચ તથા માનસિક ત્રાસ પેટે ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh