Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શનિવારથી સોમવાર આ પરિવાર માટે ભારે નિવડ્યાઃ
જામનગર તા. ૨: ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં વસવાટ કરતા રામાણી (પટેલ) પરિવારના ત્રણ વ્યક્તિના શનિવારથી સોમવાર સુધીમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજતા આ પરિવાર સ્તબ્ધ બની ગયો છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ ધ્રોલ તાલુકાના લતીપરમાં વસવાટ કરતા ગાંડુભાઈ નાથાભાઈ રામાણી (ઉ.વ.૮પ)નું શનિવારે હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ નિપજ્યું હતું. તેઓની રાખવામાં આવેલી અંતિમયાત્રા પછી ઘર સુધી મોઢે આવેલા પરિવારજનો સાથે ગાંડુભાઈના ભત્રીજા અશ્વિનભાઈ છગનભાઈ રામાણી (ઉ.વ.૪પ) બેઠા હતા.
આ વેળાએ અશ્વિનભાઈને છાતીમાં દુખાવો ઉપડતા તેઓ ઢળી પડ્યા હતા. આ યુવાનને સારવારમાં લઈ જવાયા પછી તેઓનું પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું હતું. ત્યારપછી ગઈકાલે સોમવારે ગાંડુભાઈના નાનાભાઈ અરજણભાઈ નાથાભાઈ રામાણી (ઉ.વ.૭૪)ને પણ હૃદયરોગનો હુમલો આવી જતા તેઓનું અવસાન થયું છે.
આમ, શનિવારથી સોમવાર સુધીમાં રામાણી પરિવારના બે મોભી તથા એક યુવાનના હૃદયરોગના હુમલાથી અવસાન થતાં રામાણી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial