Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી'માં ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાનો કાર્યક્રમ યોજાયો

રાજકીય આગેવાનો સહિતની અગ્રણીઓની ઉપસ્થિતિઃ

                                                                                                                                                                                                      

'છોટીકાશી'માં જામનગરમાં પરપ્રાંતિયોની વસ્તી ધરાવતા વોર્ડ નં. ૬ મા દિગ્જામ મીલ પાસેના વિસ્તારમાં ઉત્તર ભારતીયો દ્વારા કારતક સુદ છઠ્ઠના દિને પરંપરાગત રીતે છઠ્ઠ પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા), અખિલ ગુજરાત લોહાણા સમાજ પ્રમુખ જીતુભાઈ લાલ સહિતના અગ્રણીઓ કાર્યક્રમમાં જોડાયા હતાં અને આ ઉત્તર ભારતની સંસ્કૃતિનું પશ્ચિમ ભારતમાં પણ શ્રદ્ધાપૂર્વક અનુસરણ કરવામાં આવ્યું હતું. છઠ્ઠ પર્વને અનુલક્ષીને ઉત્તર ભારતીય મહિલાઓ દ્વારા ઉપવાસ કરવામાં આવે છે અને છઠ્ઠ પૂજા પછી પારણા કરવામાં આવે છે. છેલ્લા એક દાયકાથી જામનગરમાં પણ આ તહેવારની ઉજવણી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh