Advertisement
Author: નોબત સમાચાર

સીદ્દી જમાતના હોદ્દેદારના સ્કૂટરને કરાઈ આગચંપીઃ બે મહિલા સહિત ત્રણ સામે ગુન્હા

સમાજમાં હોદ્દેદારો બદલાયા પછી શરૃ થયો વર્ગવિગ્રહઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરના સીદી બાદશાહ જમાતના એક હોદ્દેદારના સ્કૂટરને રવિવારની રાત્રે બે મહિલા સહિત ત્રણ વ્યક્તિએ પેટ્રોલ છાંટીને સળગાવી નાખ્યું હતું. પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સમાજના હોદ્દેદારો બદલાયા પછી જૂના, નવા હોદ્દેદારો વચ્ચે વર્ગવિગ્રહ સર્જાયો છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી નેશનલ સોસાયટીની શેરી નં.૧૧માં રહેતા તૌસીફભાઈ હબીબભાઈ મીયાવા નામના બાદશાહ યુવાને રવિવારે રાત્રે પોતાના ઘરે આવ્યા પછી જીજે-૧૦-ડીએમ ૨૦૫૧ નંબરનું એક્ટિવા સ્કૂટર ઘરની બહાર મૂક્યું હતું.

આ સ્કૂટરમાં વહેલી સવારે ચારેક વાગ્યે અખ્તર ઈસ્માઈલ વગીંડા ઉર્ફે મુનીયા બાદશાહ, નમીરાબેન ફરદીન વગીંડા અને ઈરમનાથબેન જાહિદ નામના ત્રણ વ્યક્તિએ આગચંપી કરી હતી. આ વ્યક્તિઓએ ત્યાં આવ્યા પછી ઈરમનાથબેને એક્સેસ પર પેટ્રોલ છાંટી સળગાવ્યું હતું અને તેની જાણ થતાં બહાર નીકળેલા તૌસીફભાઈને મુનીયા બાદશાહે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સિટી એ ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ અખ્તર ઈસ્માઈલ ઉર્ફે મુનીયા બાદશાહ અગાઉ તેમના સમાજમાં હોદ્દા પર હતા. તે પછી સમાજે આ હોદ્દો તૌસીફભાઈને આપતા અખ્તર ઉર્ફે મુનીયો ઉશ્કેરાયો હતો અને તેણે બે મહિલાને સાથે રાખી રવિવારની રાત્રે સ્કૂટર સળગાવી નાખ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh