Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખસે પેટમાં છરી હુલાવી દીધીઃ
જામનગર તા. ૨૭: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બીમાર શ્વાનની સેવા કરવા ગયેલા એક યુવાન પર દિવાળીની રાત્રે ત્યાં જ રહેતા ત્રણ શખ્સે હુમલો કરી માર માર્યાે હતો અને એક શખ્સે પેટમાં છરી હુલાવી દીધી હતી.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં રહેતા અને બીમાર શ્વાનની સેવા કરતા અનિલભાઈ લહેરીલાલ દામા નામના યુવાન ગઈ તા.૨૦ની રાત્રે પોતાના ઘરથી આગળ એક કૂતરાના કાન સડી ગયા હોવાથી તેની સેવા કરી રહૃાા હતા ત્યારે ત્યાં ધસી આવેલા તકદીર ઉર્ફે પપ્પુ રાજુભાઈ મકવાણા, આદિત્ય ઉર્ફે સુમરા રાજુભાઈ મકવાણા, સન્ની શ્યામજી ઝાલા નામના ત્રણ શખ્સે તને અગાઉ પણ અમારા ચોકમાં આવવાની ના પાડી છે તો પણ કેમ આવ્યો તેમ કહી ગાળો ભાંડયા પછી ઢીકાપાટુથી માર માર્યો હતો.
આ વેળાએ સન્ની શ્યામજી ઝાલાએ પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી અનિલભાઈના પેટમાં હુલાવી દીધી હતી અને આદિત્ય ઉર્ફે સુમરાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માર મારી ત્રણેય વ્યક્તિ નાસી ગયા હતા. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા અનિલભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial