Advertisement
Author: નોબત સમાચાર

''શ્રીમતી શુકલા'' ટીવી સિરિયલમાં જામનગરના સુજાતા વૈષ્ણવ મહત્ત્વની ભૂમિકામાં

'દંગલ' ટીવી ચેનલ પર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: 'દંગલ' ટીવી ચેનલ પરથી તા. ૧૦ નવેમ્બરથી પ્રાઈમ ટાઈમે પ્રસારિત થઈ રહેલી ટીવી સીરિયલ 'શ્રીમતી શુક્લા' લોકપ્રિય બનવા સાથે જમાવટ કરી છે.

આ ટીવી સિરિયલમાં મૂળ જામનગરના હાલ મુંબઈ સ્થિત સુજાતા વૈષ્ણવ મહત્ત્વની ભૂમિકામાં અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. સુજાતા વૈષ્ણવ આ ટીવી સિરિયલમાં સેકન્ડ લીડ રોલ ભજવી રહ્યા છે. તેમના રૂઆબદાર સૂર સાથે તેઓ સિરિયલમાં દરેક સીનમાં એક અલગ પ્રભાવ વ્યક્ત કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, સુજાતા વૈષ્ણવ પ૭ વર્ષની વયે આજે પણ તેમના અભિનય, સૌંદર્ય અને બોલ્ડ, નેગેટીવ રોલના કારણે અગાઉ હિન્દી ફિલ્મો તથા ટીવી સિરિયલોમાં નાની-મોટી ભૂમિકા ભજવી ચૂક્યા છે. શ્રીમતી શુકલા સિરિયલમાં સુજાતા વૈષ્ણવના અભિનયની ટેલિવૂડ દુનિયામાં ભારે પ્રશંસા થઈ રહી છે.

'નોબત' સાથેની વાતચીતમાં સુજાતા વૈષ્ણવે ખૂબ જ ઉત્સાહી થઈને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરવાની ઉત્કંઠા વ્યક્ત કરી હતી અને આગામી સમયમાં ગુજરાતી ફિલ્મોમાં પણ સુજાતા જોવા મળે તો નવાઈ નહીં!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh