Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા સપ્તાહે મૃતદેહ મળી આવ્યા પછી તપાસમાં ખૂલ્યું:
જામનગર તા. ૧૭: કાલાવડથી રાજકોટ વચ્ચેના હાઈવે પર રાજસ્થળી ગામના પાટીયા પાસે કાલાવડના એક શીખ યુવાનનો ગંભીર ઈજા પામેલો મૃતદેહ મળ્યો હતો. આ યુવાનના મૃત્યુ અંગે પોલીસે શરૂ કરેલી તપાસમાં ખૂલ્યું છે કે, આ યુવાન બાઈક પર ઉભા રહીને બાઈક ચલાવતા હતા. તે દરમિયાન કાબુ ગૂમાવતા રોડ નીચે ઉતરી ગયેલા બાઈક પરથી પછડાઈ જવાના કારણે આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના ભાઈનું નિવેદન નોંધાયું છે.
કાલાવડ શહેરમાં કુંભનાથપરામાં રહેતા અને તાળા-ચાવીનો વ્યવસાય કરતા કુલદીપસિંગ કરણસિંગ શીખ નામના છવ્વીસ વર્ષના યુવાન ગઈ તા.૮ની રાત્રે રાજકોટથી જીજે-૩-એનએ ૨૯૦૮ નંબરના બાઈક પર પોતાના ભાણેજના ઘેર જવા માટે નીકળ્યા પછી કાલાવડના રાજસ્થળી પાસે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા.
આ યુવાનના અપમૃત્યુ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને કાલાવડ પોલીસે આ યુવાનનું મૃત્યુ કઈ રીતે થયું? તેની તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન આ યુવાન રાજકોટથી પોતાના ગામ આવવા માટે નીકળ્યા ત્યારે માર્ગમાં મોટરસાયકલ પર ઉભા થઈને બાઈક ચલાવતા હોવાનું અને પોતાના તથા અન્ય લોકોના જીવ પર જોખમ સર્જાય તે રીતે ડ્રાઈવીંગ કરતા હોવાનું ખૂલ્યું છે.
તેઓ આ રીતે બાઈક ચલાવતા હતા ત્યારે રાજસ્થળી ગામના પાટીયા પાસે કોઈ રીતે બાઈક પરનું સંતુલન જતા તેઓ બાઈક સાથે રોડ નીચે ઉતરી જઈ પછડાયા હતા અને તેના કારણે ગંભીર ઈજા થતાં કુલદીપસિંગનું મૃત્યુ નિપજ્યાનું ખૂલ્યું છે. પોલીસે મૃતકના ભાઈ ભૂપેન્દ્રસિંગ શીખનું નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial