Advertisement
Author: નોબત સમાચાર

ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા માઠંુ લાગી આવવાથી તરૂણીનો ગળાફાંસો

પિતાનું નિવેદન નોંધી પોલીસ દ્વારા તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના મહાવીરનગરમાં રહેતા એક પરિવારની પંદર વર્ષની પુત્રીને માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા માઠું લાગી આવવાથી આ તરૂણીએ ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે તેણીના પિતાનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી હર્ષદમીલની ચાલી નજીકના મહાવીરનગરમાં રહેતા શરદભાઈ દેવજીભાઈ મકવાણા નામના પ્રૌઢની પંદર વર્ષની પુત્રી જાનવીબેને ગઈકાલે બપોર પછી પોતાના ઘરમાં એક છતમાં રહેલા હુંકમાં સાડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની જાણ થતાં તે તરૂણીને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસને બનાવથી વાકેફ કરવામાં આવતા સિટી એ ડિવિઝનનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પિતા શરદભાઈનું નિવેદન નોંધ્યું છે.

પિતાએ આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ તેમની પુત્રી જાનવીને ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા આ તરૂણીને માઠંુ લાગી આવ્યંુ હતું અને તેના કારણે તેણીએ આત્મઘાતી પગલું ભરી લીધુ છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh