Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એકલવાયું જીવન જીવતો પૂર્વ શિક્ષક હતોઃ
ખંભાળિયા તા. ર૪: ખંભાળિયામાં રામનાથ સોસાયટીમાં રહેતા એક ઔદિચ્ય યુવાનનું હૃદયરોગના હુમાલમાં મૃત્યુ થતા બ્રહ્મસમાજમાં શોકની લાગણી છવાઈ છે. વિમલ કિશોરભાઈ જાની (ઉ.વ. ૩૯) છાતી-પેટમાં દુઃખાવાના સંદર્ભમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગયેલા, ત્યાં પડી જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આ યુવાન સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરતો હતો તથા અગાઉ રાજપરા ગામે પણ ફરજ બજાવી હતી તથા થોડા સમય પહેલા કોઈ કારણોસર રાજીનામું પણ આપી દીધેલું તથા એકલવાયા જેવું જીવન ગાળતો હતો અને માનસિક અસ્વસ્થ હોવાનું કહેવાય છે. અપરિણીત આ યુવાનના હૃદયરોગના હુમલાથી ઔદિચ્ય બ્રહ્મ સમાજમાં શોકની લાગણી છવાઈ છે. મૃતક તેના પિતાનો એક જ પુત્ર હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial