Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગ લાગ્યાનું કારણ અકળઃ
જામનગર તા. ૧૯: જામનગરના જિલ્લા પોલીસવડાના બંગલા પાછળ ગાર્ડનમાં આવેલા એક ઝાડમાં કોઈ કારણથી આગ ભભૂકી હતી. દોડી આવેલી ફાયરબ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં આગ બુઝાવી નાખી હતી.
જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં આવેલા ઝુલેલાલ મંદિર પાછળ અને જામનગરના જિલ્લા પોલીસવડાના બંગલામાં પાછળના ભાગમાં આવેલા બગીચામાં નારીયેળીના ઝાડમાં ૫રમદિને સાતેક વાગ્યે કોઈ રીતે આગ લાગી હતી. આ બાબતની કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરના જવાનો ધસી ગયા હતા. પાણીનો મારો ચલાવી આગને તરત કાબુમાં લઈ લેવામાં આવી હતી. ઝાડમાં કઈ રીતે આગ ભભૂકી તેનું કારણ જાણવા મળ્યું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial