Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧: જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા 'કેરિયર ફેર ર૦રપ'નું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓને કારકિર્દી વિકલ્પો, એન્ટ્રન્સ પરીક્ષાઓ, અભ્યાસક્રમ અને કૌશલ્ય વિકાસ વિશે માહિતી અપાઈ હતી.
વિદ્યાર્થી મિત્રોને ભવિષ્યના કારકિર્દી વિકલ્પો વિશે માર્ગદર્શન આપવા માટે વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકથી અવગત કરાવવાના હેતુથી જવાહર નવોદય વિદ્યાલય, અલિયાબાડામાં 'કેરિયર ફેર-ર૦રપ'નું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં જિલ્લા રોજગાર અધિકારી સરોજ સાંડપા અને કાઉન્સિલર ધ્રુવસિંહ જાડેજા, દરબાર ગોપાલદાસ, શૈક્ષણિક વિદ્યા સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ, વિદ્યાનિકેતન માધ્યમિક શાળા અલિયાબાડાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ, જવાહર નવોદય વિદ્યાલય, અલિયાબાડાના ધોરણ ૯ થી ૧ર ના વિદ્યાર્થીઓને કારકિર્દી વિકલ્પો, એન્ટ્રન્સ પરીક્ષાઓ, અભ્યાસક્રમ અને કૌશલ્ય વિકાસ વિશે મહત્ત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. સાથે જ કારકિર્દી માર્ગદર્શનના ચાર્ટ, ફાઈલ, બુક્સ વગેરેની પ્રદર્શનીનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું, જેનો લાભ ઉપસ્થિત વિદ્યાર્થીઓએ લીધો હતો.
શાળાના પ્રિન્સિપાલ એમ.પી. સિંહએ જણાવ્યું કે, 'આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓને સમયસર યોગ્ય દિશા માટે માર્ગદર્શન આપે છે અને તેમના આત્મ વિશ્વાસમાં વધારો કરે છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial