Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જવાબદારો એક બીજા તંત્રને ખો આપે છે
જામનગર તા. ૨૧: જામનગર તાલુકાના ખીમરાણા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાં કોઈ શખ્સો મૃત પશુના હાડકા ફેંકી જતા હોવાની રજૂઆત કરવામાં આવી છે. જો કે, તંત્ર દ્વારા ખો આપવામાં આવતી હોવાથી આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો નથી.
જામનગર તાલુકાના ખીમરાણા ગામની સરકારી ખરાબાની જમીનમાં મૃત પશુના હાડકા ફેંકવામાં આવે છે. આથી આજુબાજુમાં વાડી ખેતર ધરાવતા ખેડૂતો અને પરપ્રાંતિય ખેત શ્રમિકોને મુશ્કેલી પડી રહી છે. અમુક લોકોના આરોગ્ય પણ બગડ્યા છે. પરિણામે અમુક ખેત શ્રમિકો કામ છોડીને જતા રહ્યા છે. આ બાબતે તલાટી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી વગેરે સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. એક બીજા વિભાગે અરજદારોને ખો આપ્યો હતો. આખરે અરજદારો પોલીસ સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પણ તેમની ફરિયાદનો ઉકેલ મળ્યો ન હતો.
આખરે હવે આ મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત થઈ રહી છે. અરજદારના કહેવા મુજબ કોઈ ચોક્કસ તત્ત્વો અહીં હાડકા નાખે છે. અને ત્યાં તેના ટૂકડા કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. જો કે, વ્યાપક ફરિયાદ પછી એટલો તફાવત જોવા મળ્યો કે ખૂલ્લામાં વેરાયેલા હાડકાને હવે કોથળામાં ભરી લેવાયા છે. જો કે, તેના ઢગલા હજુ ત્યાં જ પડયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial