Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થિનીઓમાં પ્રસરી આનંદની લાગણી
ખંભાળીયા તા. ૨૩: ખંભાળીયા શહેરમાં ઈતિહાસ વિષય સાથે એમ.એ.ના અભ્યાસક્રમ ધરાવતી પ્રથમ મહિલા કોલેજ શરૂ થતાં વિદ્યાર્થિનીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.
તાજેતરમાં સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ ખંભાળીયાને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા એમ.એ. મહિલા અનુસ્નાતક કોલેજની મંજુરી આપી છે.
સંસ્થાના ટ્રસ્ટી પરાગભાઈ બરછાએ જણાવેલ કે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંસ્થા દ્વારા સંકુલમાં ૧૧ શાળાઓ તથા પાંચ કોલેજો ચાલે છે, જેમાં આ વધુ સગવડતાનો ઉમેરો થયો છે. સંસ્થાના માનવંતા દાતા શેઠ જમનાદાસ હરિદાસ રાયઠઠ્ઠાની સ્મૃતિમાં આર્ટસ અનુસ્નાતક કોલેજનું નામકરણ થયું છે. છાત્રાઓ પોર્ટલ પરથી નોંધણી કરાવીને પ્રવેશ મેળવી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial