Advertisement
Author: નોબત સમાચાર

કટારીયાવારા વાછરાદાદાના મંદિરે દેવદિવાળીએ અન્નકોટ ઉત્સવ યોજાશે

શ્રી હર્ષિદા માતાજી ચેરી. ટ્રસ્ટ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર તા. ૫-૧૧-૨૦૨૫ ને બુધવાર કારતક સુદ-૧૫ (પૂનમ) દેવદિવાળીના લાલપુર તાલુકાના નવાગામ પાસે આવેલા શ્રી કટારીયાવારા વાછરાદાદાના મંદિરે નગરના શ્રી હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી હર્ષિદા ગરબા મંડળ જામનગરના સંયુકત ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ છપ્પનભોગ અન્નકોટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ દિવસે સાંજે દાદાની બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવશે. રાત્રે આવતા તમામ દર્શનાર્થી માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે તેમજ મંડળ દ્વારા રાત્રે ૧૦:૩૦ કલાકેથી સવાર સુધી માતાજીના ઓરીજીનલ દેશી ગરબા, દુહા, છંદ, વાછરાદાદાના લગ્નગીત, મંગળીયા તથા આખ્યાનનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ગામોગામથી માતાજીના બાનાધારી ભુવાઓ પધારશે અને વાછરાદાદાની ગાદી શોભાવશે.

કાર્યક્રમમાં જવા માટેનું મંડળનું વાહન (નિઃશુલ્ક) સાંજે ૪ વાગ્યે વિકટોરીયા પુલના છેડે, જિલ્લા સેવા સદન-૪ પાસે આવેલ હઠીલા હનુમાનજીના મંદિરેથી ઉપાડવામાં આવશે. જે ભાવિકોને દર્શનનો લાભ લેવાની ઈચ્છા હોય તેમને સમયસર સ્થળ પર હાજર રહેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જોષીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh