Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાવણ દહ્નનો કાર્યક્રમ હોવાથી
જામનગર તા. રઃ જામનગરના પ્રદર્શન મેદાનમાં આજે મોડી સાંજે રાવણ સહિતના પૂતળાના દહ્નનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આથી સાત રસ્તાથી જિલ્લા પંચાયતનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. આ માટે અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
પ્રદર્શન મેદાનમાં આજે રાવણ સહિતના પૂતળાના દહ્નનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જ્યાં બહોળી સંખ્યામાં લોકો એકત્ર થનાર છે. આથી પોલીસ વિભાગની દરખાસ્ત અન્વયે અધિક જિલ્લા મેજિ. દ્વારા બપોરે ૩ થી રાત્રે ૧ર વાગ્યા સુધી સાત રસ્તા સર્કલથી જિલ્લા પંચાયત સુધીનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રાખવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઉપરાંત મીગ કોલોનીથી નવા બસ ડેપો તેમજ જુની આર.ટી.ઓ. કચેરીની પાછળનો નવો માર્ગ (એસ.ટી. બસ સિવાય) પણ બંધ રાખવમાં આવ્યો છે.
આ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં એસ.ટી. બસો માટે ખંભાળિયા-દ્વારકા તરફથી આવતી બસો સાત રસ્તાથી જુના બસ સ્ટેન્ડ ટ્રાવેલ્સ, મીગ કોલોનીથી નવા બસ સ્ટેન્ડ તરફ જઈ શકશે. રાજકોટ તરફથી આવતી એસ.ટી.ની બસો સુભાષ બ્રિજ, ત્રણ દરવાજા, બેડીગેઈટથી ટાઉનહોલથી ભીડભંજન મંદિર, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, જુની આર.ટી.ઓ. ઓફિસ પાછળથી બસ ડેપો જઈ શકશે.
અન્ય વાહનો માટે સાત રસ્તાથી જુના એસ.ટી. ડેપો, જયમાતાજી હોટલ, તળાવની પાળ, આશાપુરા હોસ્પિટલ ટાઉનહોલ તરફ જઈ શકાશે તથા સાત રસ્તાથી ગુરુદ્વારા, છત્રી-અબંર છત્રી, ત્રણબત્તી, બેડીગેઈટથી ટાઉનહોલ તરફ જઈ શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial