Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં પતંગ-દોરાથી કુલ ૭૮ પક્ષી ઘાયલ

સારવાર દરમિયાન ૮ કબૂતરના મૃત્યુ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગર જિલ્લામાં મકરસંક્રાંતિના પર્વને અનુલક્ષીને બે દિવસ દરમિયાન પતંગ અને દોરાના કારણે કુલ ૭૮ પક્ષીઓ ઘાયલ થયા હતાં અને તે તમામને સારવાર આપવામાં આવી હતી, જે પૈકી આઠ કબૂતરોના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. બાકીના ખીજડિયા પક્ષી અભ્યારણભમાં તૈયાર કરાયેલ રેસ્ક્યુ સેન્ટરમાં હાલ સારવાર મેળવી રહ્યા છે.

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસના સમયગાળા દરમિયાન પતંગ અને દોરાના કારણે કબૂતર, કાગડા, કોયલ, પોપટ સહિત કુલ ૭૮ પક્ષીઓ ઘાયલ થયા હતાં, જે તમામ પક્ષીઓને સારવાર માટે ફોરેસ્ટ વિભાગ, મહાનગરપાલિકા તથા અન્ય એનજીઓ સંસ્થા વિગેરે દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત તૈયાર કરેલા હંગામી સારવાર કેન્દ્રમાં તમામ પક્ષીઓને તાકીદની સારવાર આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh