Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક યુવાનને ધોકો ફટકારાતા થઈ ગયું ફ્રેક્ચરઃ
જામનગર તા. ૨૮: જામનગરના કબીર આશ્રમ નજીક હીરાસરવાસમાં રહેતા એક યુવાનના દાદીમા તહેવાર દરમિયાન પડી જતાં ઈજા પામ્યા હતા. તે પછી આ વૃદ્ધાને તમે પછાડી દીધા છે તેમ કહી ધોકાના દિવસે આ યુવાન તથા તેના ભાઈ, પિતા પર કાકા સહિત ત્રણ વ્યક્તિએ ધોકા-ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાે હતો. જેમાં એક યુવાનને ફ્રેક્ચર થઈ ગયું છે.
જામનગરના કિસાનચોક વિસ્તારથી આગળ આવેલા કબીર આશ્રમ નજીકના હીરાસરવાસમાં રહેતા દિનેશભાઈ ગિરધરભાઈ માતંગ નામના યુવાનના તેમની સાથે રહેતા દાદીમા પડી ગયા હતા અને તેમને સારવાર લેવી પડી હતી.
ત્યારપછી ધોકાના દિવસે સવારે દિનેશભાઈના ઘેર ધસી આવેલા તેમના પિતરાઈ વિજય જયેશભાઈ માતંગ, ભાવેશ જયેશભાઈ તથા જયેશભાઈ ખેરાજભાઈ માતંગે તમે દાદીમાને પછાડી દીધા છે તેમ કહી કલ્પેશ ગિરધરભાઈને બહાર બોલાવી ગાળો ભાંડી હતી તેથી દિનેશભાઈ તથા તેના પિતા ગિરધરભાઈ સમજાવટ કરવા જતા જયેશ ખેરાજભાઈએ ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે વિજય તથા ભાવેશે ઢીકાપાટુથી માર મારી ગાળો ભાંડી હતી. આ હુમલામાં દિનેશભાઈનો પગ ભાંગી ગયો હતો. તમને હજી મારવા છે તેવી ધમકી આપી ત્રણેય પિતા-પુત્રો ચાલ્યા ગયા હતા. આ બાબતની સિટી એ ડિવિઝનમાં ગઈકાલે દિનેશભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial