Advertisement
Author: નોબત સમાચાર

જન્મ-મરણના દાખલા મેળવવામાં અરજદારોને મુશ્કેલીઃ રજૂઆત

જામનગર મહાનગરપાલિકામાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર મહાનગર પાલિકામાં જન્મ-મરણના દાખલા મેળવવામાં ખૂબ જ મુશ્કેલી નડતી હોવા અંગે ઉચ્ચ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકામાંથી જન્મ-મરણના દાખલા મેળવવા દરરોજ અસંખ્ય લોકો આવતા રહે છે. પરંતુ અહિ સ્ટાફ અને કોમ્પ્યુટરની અછત છે. સર્વર ડાઉન હોવાનું કહેવામાં આવે છે. પરિણામે અરજદારોને કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડે છે. બીજી તરફ અમુક ચોકકસ તત્ત્વો પૈસા લઈને આવી સુવિધા પૂરી પાડતા રહે છે.

આ બાબતે મ્યુનિ. કમિશનર સમક્ષ લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે. પરંતુ તેઓ પણ કોઈ કડક પગલા ભરતા નથી. પરિણામે અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા આથી હવે છેક ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી છે. 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh