Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-મિઝોરમ વચ્ચે સપ્તાહમાં ચાર વખત ટ્રેન દોડાવવા માગણી

અનેક રૂટની ટ્રેન સુવિધા વધારવા સાથે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: ઓખાથી મિઝોરમની ટ્રેન શરૂ કરવા તેમજ અમૂક ટ્રેનના ફેરા વધારવા અંગે રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

જામનગર રીઝીયન પેસેન્જર એસો.ના માનદ્ મંત્રી ચંદ્રવદનભાઈ પંડ્યાએ રેલવે મંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, ઓખાથી મિઝોરમ વચ્ચે સપ્તાહના ચાર વખત દોડાવવી જોઈએ. ઓખા-અર્નાકુલમ્ સપ્તામાં ચલાવવામાં આવે છે. તેને કન્યાકુમારી સુધી લંબાવવી જોઈએ.

ઓખા-નાથદ્વારા ટ્રેન અમદાવાદ, વડોદરા, રતલામ, સલાયા, સવાઈ માધોપુર, રૂટ ઉપર ચલાવામાં આવે છે. તેના બદલે હિંમતનગર, ઉદયપુર માર્ગે સપ્તાહમાં ચાર વખત દડાવવી જોઈએ. આ ટૂંકા રસ્તાના કારણે સમય અને ભાડામાં બચાવ થશે.

સિકંદરાબાદ અને કોઈમ્બતુરથી રાજકોટ સુધી ચાલતી ટ્રેન જામનગર સુધી લંબાવી જોઈએ. મોટા શહેરોને જેટલો રેલ સુવિધાનો લાભ મળે છે તેટલો જ નાનાશહેરના લોકોને લાભ મળે તેવો નિર્ણય લેવો જોઈએ.

પોરબંદર-ભાણવડ લોકલ ટ્રેનના બે અને પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનના દૈનિક બે ફેરા કરવાની અને આ ટ્રેનો જામનગર-રાજકોટ સુધી લંબાવવાની જરૂર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh