Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના જસાપર પાસે રોડ પર બાઝતા ખુંટીયાઓએ હડફેટે લેતાં સ્કૂટરચાલકનું મૃત્યુ

રાજકોટના વૃદ્ધને કાળ આંબી ગયોઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૨૨: કાલાવડના જસાપર ગામ પાસે રોડ પર બાઝી રહેલા બે ખુંટીયાએ ત્યાંથી પસાર થતાં એક સ્કૂટર ચાલકને હડફેટે લીધા પછી ગંભીર ઈજા પામેલા રાજકોટના સ્કૂટરચાલકનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

રાજકોટ શહેરના રામનાથપરા મેઇન રોડ પર આવેલા શાલીમાર એપાર્ટમેન્ટમાં રહેતા ફઝલભાઈ હમીદભાઈ ગાંગનાણી નામના ૬૧ વર્ષના મેમણ વૃદ્ધ ગઈ તા.૪ની સવારે રાજકોટથી કાલાવડ આવવા માટે જીજે-૩-એનસી ૪૭૧૩ નંબરના એકટીવા સ્કૂટરમાં નીકળ્યા હતા.

તેઓ જ્યારે કાલાવડ તાલુકાના જસાપર ગામ પાસે પહોંચ્યા ત્યારે રોડ પર બે ખંુટીયા બાઝતા હતા. તેઓની બાજુમાંથી પસાર થઈ જવાનો ફઝલભાઈએ પ્રયાસ કર્યાે હતો ત્યારે જ ખુંટીયાઓએ તેઓને હડફેટે લેતા આ વૃદ્ધને ગંભીર ઈજા થઈ હતી. સ્કૂટર પરથી પછડાયેલા ફઝલભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યું છે. તેમના પુત્ર અકરમભાઈ ગાંગનાણીએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh