Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા નગરપાલિકાના કામદારને પુનઃ નોકરીમાં લેવા લેબર કોર્ટનો હુકમ

૩૦% પગાર સાથે સળંગ નોકરી ગણવા આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦ : દ્વારકા નગરપાલિકાના ફાયરબ્રિગેડ શાખામાં ફરજ બજાવતા કર્મચારીને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતાં, જે કેસમાં લેબર કોર્ટે કામદારની તરફેણમાં ચૂકાદો આપ્યો છે.

દ્વારકા નગરપાલિકામાં ફાયર શાખામાં તા. ર૦-૮-૧૯૯ર થી ડ્રાઈવર તીકે ફરજ બજાવતા પ્રવિણભાઈ જેરામભાઈ કાપડીને ગેરકાયદે રીતે નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતાં.

આથી તેણે મજૂર સેવા સંઘ મારફત ન્યાય મેળવવા મજૂર અદાલતમાં દાદ માગી હતી. તેમાં તા. ર૯-૮-ર૦રપ ના પડેલ દિવસોના ૩૦ ટકા પગાર સાથે કામદારને સળંગ નોકરીમાં પુનઃ સ્થાપિત કરવાનો હુકમ થયો હતો.

બન્ને પક્ષકારોની દલીલો વગેરેને ધ્યાને લઈ લેબર કોર્ટના ન્યાયધીશ ડી.જે. ઠક્કરએ કામદારની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. આ કેસમાં કામદારના પ્રતિનિધિ તરીકે હમીદ એચ. દેદા, તારમામદ એચ. શમા અને સંદિપ કે. દાવડા રોકાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh